વાવાઝોડું ટળતા સૌરાષ્ટ્રના યાર્ડો મગફળી અને કપાસથી ઉભરાયા, રાજકોટ યાર્ડમાં આવક બંધ કરાઇ
  • 4 years ago
રાજકોટ: મહા વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડો બંધ હતા શનિવારથી માર્કેટ યાર્ડો ફરી શરૂ થયા છે ત્યારે આજે સોમવારે સૌરાષ્ટ્રના તમામ યાર્ડો કપાસ અને મગફળીના પાકથી હાઉસફૂલ થઇ ગયા છે રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે વધુ આવકને લઇને મગફળી અને કપાસની આવક બંધ કરવામાં આવી છે આથી બહાર વાહનોના થપ્પા લાગી જતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અંદર પ્રવેશ ન મળતા ખેડૂતોને વાહનોનું ડબલ ભાડુ ચૂકવવાના વારો આવ્યો છે મગફળી અને કપાસની આવક વધતા ભાવ નચા ગયા છે
Recommended