નિલકંઠધામમાં 5 દિવસીય કલ્યાણ મહોત્સવનો પ્રારંભ, બે દિવસમાં 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

  • 5 years ago
રાજપીપળાઃનર્મદા નદીના તટે 108 એકર જમીનમાં વિકસેલા નિલકંઠધામ પોઇચા ખાતે કલ્યાણ મહોત્સવનો પ્રારંભ થયો છે 28થી 31 ઓક્ટોબર દરમિયાન મહા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે શરૂઆતના 2 દિવસમાં 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પાંચ દિવસ દરમિયાન પોઇચા ખાતે નિલકંઠધામમાં અખંડ ધૂન, યજ્ઞ, ભાગવી પૂજન સાથે નર્મદા મૈયાના દર્શનજ જીવોની મુક્તિનું વરદાન શાસ્ત્રોકત વિધિ દ્વારા કરવામાં આવશે જેમાં 25 હજાર કિલો પુષ્પ, 25 હજાર કીલો ફ્રૂટ, 25 હજાર કીલો દ્રાઇફ્રૂટ, 25 હજાર કીલો ધાન્ય મળી કુલ સવા લાખ કિલો વિવિધ વસ્તુઓથી સ્વામિનારાયણ નીલકંઠ મહારાજનું પૂજન અભિષેક કરવામાં આવશે આ પાંચ દિવસના દિવાળી ઉત્સવના દિવસોમાં 8 લાખ પ્રવાસીઓ ઉમટી પડશે

Recommended