અંગ્રેજોએ ભારતીય ઈતિહાસનો તેમના હિતમાં ઉપયોગ કર્યો- વેંકૈયા નાયડુ

  • 5 years ago
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ ઈતિહાસકારો સાથે સંદર્ભ અને મૂલ્યો સાથે ઈતિહાસ લખવાની અપીલ કરી છે તેમણે સોમવારે કહ્યું કે, બ્રિટિશ ઈતિહાસકારોને 1857ને ક્યારેય સ્વંત્રતા માટે પહેલો સંઘર્ષ તરીકે સ્વીકાર્યું ન હતું અને તેને અંદાજે એક ‘સિપાહી વિદ્રોહ’તરીકે બતાવવાનો પ્રયાસ કર્યો હતો

નાયડૂએ દિલ્હી તમિલ સ્ટુડન્ટ્સ એસોસિએશનના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે, ભારતનું શોષણ કરવા માટે અંગ્રેજોને તેમનો પોતાનો અલગ સ્વાર્થ હતો અને ઈતિહાસ તેમના માટે એક સાધન બની ગયો હતો તેમણે કહ્યું કે, દેશની શિક્ષણ પ્રણાલી સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ઝળહળવી જોઈએ આપણા દેશમાં 19 હજારથી વધારે ભાષાઓનો માતૃભાષા તરીકે ઉપયોગ થાય છે અમે દેશની સમુદ્ધ ભાષા વારસાને બચાવવાની જરૂર છે