રાજકોટની મૃતક યુવતીના પિતાની વ્યથા, 'જમીલ જેવા નરાધમને પાંચ વાર ફાંસી મળે તો પણ ઓછી'
  • 5 years ago
રાજકોટ: રાજકોટમાં લવજેહાદનો ભાગ બનીને આપઘાત કરનાર યુવતી નિર્ભયા (નામ બદલ્યું છે)ના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે દૂધસાગર રોડ પર રહેતા જમીલ સોલંકી (23) અને તેની માતા અસમા (65)એ મળીને પોતાની પુત્રીને ફોસલાવી-ધાકધમકી આપીને આપઘાતની દૂષ્પ્રેરણા આપી હોવાની યુવતીના પિતાએ ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાવ્યા બાદ યુવતીના પિતાએ DivyaBhaskar સાથે વાતચીતમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આવા હિન્દુ ધર્મની છોકરીને ફસાવીને તેમની જિંદગી નર્ક સમાન કરનારા જમીલ જેવા નરાધમોને પાંચ વખત ફાંસી અપાય તો પણ ઓછું છે
Recommended