બડોલીની મહિલાઓએ 5 વર્ષથી પર્યાવરણના અભિયાન સાથે ગણેશ મૂર્તિથી રોજગારી મેળવી

  • 5 years ago
હિંમતનગર:ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને જેને લઇને હવે ગણેશજીની પ્રતિમાઓની તૈયારીઓ કરવામાં કારીગરો પણ વ્યસ્ત રહ્યા હતા સાબરકાંઠાના ઇડરના બડોલીની મહિલાઓએ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા છે છેલ્લા પાંચ વર્ષથી મહિલાઓ ગૃહ ઉદ્યોગ થકી મૂર્તિ બનાવવા નારીયેળના છોતરા અને માટીનો ઉપયોગ કરીને તૈયાર કરી અમદાવાદથી લઈ મુંબઈ સુધી વેચે છે અને પર્યાવરણની જાળવણી સાથે ઉત્સવ ઉજવવાનો અનોખો આનંદ માણે છે