કાશ્મીર સમસ્યા માટે અમિત શાહે નહેરૂને જવાબદાર ઠેરવ્યાં, કોંગ્રેસે મચાવ્યો હલ્લાબોલ

  • 5 years ago
લોકસભામાં અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કાશ્મીર પર જવાહર લાલ નહેરુની ભૂલ દેશ ભોગવી રહ્યો છે દેશના વિભાજન માટે કોંગ્રેસ જવાબદાર છે અને ભાગલા પાડવાની ભૂલ હિમાલય જેટલી ઉંચી અને સમુદ્રથી પણ ઉંડી છે તેમણે કહ્યું કે, તે સમયે યુદ્ધ વિરામનું આહ્વાન કોણે કર્યું? તે સમયે પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ હતા જેણે આ કર્યું અને તે ભાગ(PoK)ને પાકિસ્તાનને આપી દીધો તમે કહો છો કે અમે લોકોને વિશ્વાસમાં નથી લેતા, પરંતુ નહેરુજીએ તત્કાલિન ગૃહમંત્રીને વિશ્વાસમાં લીધા વિના આવું કર્યું, જેથી દેશ લોહીના રંગમાં રંગાયો, તેથી મનીષ(તિવારી)જી અમને ઇતિહાસ ના શિખવાડો

Recommended