છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું વીર સાવરકર પર વિવાદિત નિવેદન

  • 5 years ago
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વીર સાવરકર પર વિવાદિત નિવેદન આપ્યું છે સાવરકરની જ્યંતિના ઠીક એક દિવસ પહેલાં એટલે કે સોમવારે તેમને આપેલા નિવેદનથી હોબાળો થઈ ગયો છે બઘેલેએ નહેરુની પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે સાવરકરે સૌથી પહેલાં બે રાષ્ટ્રનો સિદ્ધાંત આપ્યો હતો જે બાદમાં મોહમ્મદ અલી ઝીણાએ અપનાવ્યો હતો ભૂપેશ બઘેલે આ નિવેદન સોમવારે આપ્યું હતું, એટલે કે મંગળવારે સાવરકરની જ્યંતિ છે
ભૂપેશ બઘેલે કહ્યું કે હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ધર્મ આધારીત હિંદુ અને મુસ્લિમ રાષ્ટ્રની કલ્પના કરી હતી બીજ સાવરકરે વાવ્યું હતું અને તેને પૂરું ઝીણાએ કર્યુ બઘેલે કહ્યું કે સાવરકરે દેશની આઝાદી માટે લડાઈ લડી પરંતુ જેલ ગયા બાદ માફી માટે અંગ્રેજોને ડઝન પત્રો લખ્યા હતા જેલમાંથી છૂટ્યાં પછી તેઓ આઝાદીના આંદોલનમાં સામેલ થયા ન હતા